– આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઈ કહે છે અમારે ત્યાં રોકાણ કરો. Come make in India. ગુજરાત વિકાશનું મોડલ દર્શાવાયું છે. ગુજરાતમાં ગ્લોબલ સુમિત થઈ છે કરોડો ના એમઓયું સહી થયા છે. આપણા પ્રધાનમંત્રી વિદેશમાં જઈ કહે છે કે અમારી પાસે યુવાન મેન પાવર છે, બ્રેન પાવર છે. દુનિયાના સૌથી વધુ યુવાનો અમારી પાસે છે. મારા પ્રશ્ર્નો છે ગુજરાતના યુવાનોને ..
શું આવા છે આપણા યુવાનો…? જે બધું જાણવા છતાં અરાજકતા ફેલાવે… , જે વગર વિચારીયે, વગર જાણીએ કોઈ પણ ઉશ્કેરાટમાં આવી ગમે તેવી નેતાગીરીને અનુસરે…, જે જાણે છે કે સરકારી સંપત્તિ એ આપણી સૌની છે એને તેનું નુકશાન એ આપણું નુકશાન છે તેમ છતાં કરોડોનું નુકશાન કરે…, જે જાણે છે કે આવા નુકશાન ની ભરપાઈ આપણા જ વિકાશના કામો અટકાવી કરવામાં આવશે તેમ છતાં સરકારી સંપત્તિને નુકશાન કરે. જે અમદાવાદને આપણે ચીનના રાષ્ટ્રપતિને વિકાશના મોડલ તરીકે બતાવ્યું તે જ અમદાવાદના હાલ આપણે આપણા હાથે કેવા કર્યા…? એના થી દુનિયાને શું સંદેશ જશે..એ આપણે કરતાં પહેલાં વિચાર્યુંતું..?
શું આવી અસલામતીમાં કોઈ વિદેશી રોકાણરાકાર ગુજરાતમાં આવશે.? આપણે વિદેશી રોકાણરાકારોને કેવી રીતે વિશ્ર્વાસ આપીશું…? શું આપણા યુવાનોને ખબર નથી કે આવી ઘટનાઓ થી વિકાશ નથી થતો પણ આપણે ઘણાં વર્ષો પાછળ ઘકેલાય જઈએ છીએ..? નજર સામે આપણા પડોશી રાષ્ટ્રોના ઉદાહરણ છે જ.
શું યુવાનોને ખબર નથી ..? કે હડતાલ, બંધ, રેલીઓ, સરઘસો, હુલ્લડો, તોફાનો..થી કોઈનું ભલું થતું નથી…આપણી પાસે ઈતિહાસ છે જ .., જો ભલું થતું હોય તો માત્ર ગંદી રાજનીતી કરવાવાળાઓનું, ફાયદો થતો હોય તો માત્ર પ્રજાને ગેરમાર્ગે દોરી લાભ ઉઠાવવાવાળા નેતાઓને.., તેમ છતાં એજ બાબતને વારંવાર દોહરાવાની…એ કેટલે અંશે યોગ્ય છે…? શું યુવાનો એ ક્યારેય વિચારયું છે..?કે આપણે જે કોઈ પણ આવી ને કંઈક કહે છે તો તે કેટલું સાચું છે..?, તે વ્યક્તિ કેટલો સાચો છે..?, પોતાનો અનુભવ..પોતાનું જ્ઞાન .., પોતાનું ભણતર, તેનો ઉપયોગ કરે છે તે જાણવામાં કે હું જે કરું છુ..જેને અનુસરું છું તે સાચું છે કે ખોટું…, તેના થી દેશ ને ફાયદો છે કે નુકશાન..કે પછી બસ વગર વિચારીએ કોઈ પણ આપણો ફાયદો ઉઠાવી જાય..છેતરી જાય તો પણ ખબર ના પડે.વર્ષો લાગ્યા છે આપણા ગુજરાતને આ લેવલે પોહચતા ..આખા દેશમાં રોલમોડલ બનતા ..વર્ષો પછી આપણે આવા પ્રધાનમંત્રી મળ્યા છે …જે એકપણ દિવસ રજા લીધા વગર ..સતત 13 થી 14 કલાક દેશ માટે (એટલે કે આપણાં માટે) કામ કરે છે…, તો આપણે રેલીઓ કાઢીને…, આંદોલનો કરી ને, બંધ પાડીને આપણા ગુજરાતને વર્ષો પાછળ લઈ જવું છે…? શું યુવાનોને ખબર નથી..? કે 12 વર્ષો પછી આપણા ગુજરાતનું ર્ગૌરવ છીનવાય ગયું કે 12 વર્ષ થી ગુજરાતમાં કરફ્યુ નથી લાગ્યો.સ્થિર અને સુશાસિત રાજકીય પરિસ્થિતી ને દોહરાવાથી માત્ર રાજકીય વિરોધ પક્ષોને જ ફાયદો થાય છે ના કે પ્રજા ને. કોઈપણ રાજકીય પ્રશ્ર્નને કાયદાકીય રીતે, સંવિધાનના અનુસાર .., શાંતિ થી ઉકેલી જ શકાય છે.
હું ચોક્કસ હતો અને મને ખબર જ હતી કે આ બાબતનું આ જ પરિણામ આવશે. Now let’s see more about Anamat Andolan future. I am sure below words will become reality in future.
– પહેલાં પણ આંદોલન અનામત કરતાં સરકાર સામે વધું હતું ..કારણ આંદોલનના નેતાઓના ખબર જ નથી કે અનામત કેવી રીતે મળે..,કોણે કોણે મળે.., હવે પોલિસના વર્તણુંક ને મુદ્દો બનાવી લોકોને સરકારની વિરુધ્ધ વધું ઉશ્કેરવામાં આવશે. રાજકીય અસ્થિરતા વચ્ચે કાં તે મુખ્યમંત્રી બદલવામાં આવશે. વોટબેંક ની રાજનીતી થશે…,અથવા 2017માં બીજો કોઈ વિરોધ્ધ પક્ષ સત્તા પર આવશે. એકવાર સરેલું ઉભું કર્યું છે એટલે હવે વટના ગાજરા ખાવા પડે એવી હાલત થઈ ગઈ છે. માટે કોઈપણ રીતે પડતું નહી મુકવામાં આવે.
– આંદોલનના નેતાઓ કહેશે કે આપણે ..,”આપણે સડક થી સંસદ( વિધાન સભા) સુધી જવું પડશે”, ટુંકમાં નવી રાજકીય પાર્ટી બનશે. “અનામત પરિવર્તન પાર્ટી”. વોટોનું વિભાજન થશે એટલે સ્પષ્ટ બહુમત વારી સરકાર કરતાં સીટો વહેચાશે. એટલે પક્ષો એકબીજાના સર્પોટ થી સરકાર બનાવવા વાતાઘાટો ચાલશે પછી સભ્યોની બોલી બોલાશે. APP ના થોડીઘણી સીટો વારા નેતાઓ પહેલાં પ્રજા પર દોષ રોપણ કરશે કે તેમે સ્પષ્ટ બહુમતીના આપી એટલે હવે કંઈ થઈ શકશે નહી. ટુંકમાં અનામત પુરુ. કાં તો ફરી ચુંટણીનું વાતાવરણ સર્જશે અથવા પ્રજા ને કહેશે કે આ પક્ષ આપણે ફાયદો આપશે માટે તેને સર્પોટ કરીએ છે અને અંદર ખાને કરોડોનો સાદો કરશે. ત્યાર પછી વિધાનસભાના સત્રો ચાલશે તો કંઈ કામ થશે…,નહી તો…વારતા રે વારતા….., મજા મજા…..
– અથવા ફરી ચુંટણી કરવી એ તો વાતાવરણ અને સીટો પર થી ખબર પડી જશે..એટલે જો ફરી ચુંટણી કરવામાં ફાયદો નહી હોય તો જે સીટો આવી તેના નેતાઓ મજા લઈ બેસી રહેશે. નહી તો સમર્ગ્ર પ્રજાને કંઈને કંઈ મફતની લાલચ આપી .., સ્પષ્ટ બહુમતમાં આવશે. સ્પષ્ટ બહુમતમાં આવ્યા પછી અને સરકાર બનાવ્યા પછી અનામત ના મુદ્દા માટે કહેશે કે…, સંવિધાન ની રૂપરેખા જોવી પડશે.., સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઇન સમજવી પડશે…, નવું કમીશન બનાવી સર્વે કરાવીશું…,આપણે તો અનામત લાવવું છે પણ વિરોધ્ધ પક્ષ કામ કરવા નથી દેતો …, વિધાનસભાના સત્રો ચાલતા નથી …, ટુંકમાં અનામત બાજુ પર મુકી પાંચ વર્ષ મજા મજા કરી પુરા કરવાના, માલ બનાવવાનો તે અલગ.., અને લાઈફ ટાઈમની નેતાગીરીની પરમીશન. આવા નેતાઓ ને પ્રજાની જરૂર માત્ર સત્તા સુધી પોંહચવા માટે હોય છે…પછી તો પ્રજા ગમે તે કરે પાંચ વર્ષ ફિક્સ. કેટલાંક લોકો પ્રજાને ગુમરાહ કરી પોતાનું પોલિટિકલ કેરીયર બનાવી લેશે. અનામતના નામે પ્રજાને મળશે બાબાજી કા થુલ્લુ….
જો આવું ના હોત તો આજે….
અયોધ્યામાં રામ મંદિર બની ગયું હોત…,
કાળુંનાણું વિદેશ થી પાછું આવી ગયું હોત….
દિલ્હીમાં ફ્રી વાઈફાઈ કામ કરતું હોત.., પાણી ફ્રી મળતું હોત….
ભ્રષ્ટાચારના વિરોધી નેતાઓ સત્તામાં આવ્યા પછી ભ્રષ્ટાચારીઓ સાથે ગઠબંધન ના કરતા હોત …
As per my opinion, solution of problem is ….
– કોઈપણ પક્ષ કે નેતા સત્તામાં આવતા પહેલાં જે મેનીફ્રેસ્ટો રજુ કરે.., જે વાયદાઓ કે વચનો કરે…તેની પુરા કરવાની સમય મર્યાદા નક્કી હોવી જોઈએ. તેનું કાયદેકર એફિવિડેટ બનાવું જોઈએ. સત્તામાં આવ્યા બાદ જો એ સમયમાં એ કામોના થાય એટલે એ પક્ષ પર કે નેતા પર પ્રજા સાથે છેતરપીંડીના ગુનામાં સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને આજીવન કેદની સજા થવી જોઈએ. સામાન્યમાં સામાન્ય વસ્તુ વેચવાવાળા વેપારી સામે છેતરપીંડી બદલ ગ્રહાક સુરક્ષા હેથળ કેસ કરી શકાય પણ સમ્રર્ગ પ્રજા ને છેતરનાર પક્ષ કે નેતાઓ પાંચ વર્ષ સુધી રાજ કરે એ કેવું ? આપણે કોઈ દુકાનમાં થી ઈલેક્ટ્રીક પંખો લાવીએ.., દુકાનદારનુ એ કમિટમેન્ટ હોય છે કે જો આપણે એ પંખાને ઈલેક્ટ્રીક પાવર સ્પલાય આપીશું તો એ આપણે ઠંડી હવા આપશે.
પણ પંખો ઘરે લાવીને ઈલેક્ટ્રીક પાવર સ્પલાય આપ્યા બાદ પણ એ ના ચાલે…, ઠંડી હવા આપે..એટલે આપણે કાં તો દુકાનદાર ને વલે કરીએ અથવા એ પંખાને કચરામાં ફેકી દઈએ.
લોકશાહીમાં સંવિધાન પણ એમ જ કહે છે કે જો તમે યોગ્ય પક્ષને તમારો કિંમતી વોટ આપશો તેને ચુંટણીમાં જીતાડશો તો એ તેમને સરકાર થકી ..સુશાસન, પ્રગત્તિ, વિકાશ અને પ્રજાના કલ્યાણ ના કાર્યો કરશે. પણ સત્તા પક્ષ એવું ના કરે તો આપણે તેને …કચરામાં ફેકી નથી આવતા કે નથી … લોકશાહીમાં સંવિધાનના માન ભંગ બદલ સુપ્રિમ કોર્ટમાં તેની વલે કરતાં…..
jay hind …., Bharat Mata Ki Jay…..
Nice Blog